નટવરભાઇ,
આવું વાંચીને પછી આગળ શું ?
રોજ સલાહ આપનારા લોકોનો અહિ તોટો નથી.
કામ કરવા વાળા કે કામમાં સહયોગ આપનારા લોકો જલ્દી મળતા નથી.
પણ આપણે …
કામમાં લઇ શકાય તેવો આઇડીયા મળે એટલે કામ શરૂ કરી દેવાનું.
આપણી પહોંચ બહારની વાતમાં પડીને દુઃખી નહિ થવાનું.
આપણાથી થાય તેટલું સ્વાવલંબી થઇને જ કર્યે જવાનું …. બીજા પર મદાર રાખવામાં મજા નથી.
કોણે શું કરવું જોઇએ … કહેતા પહેલા મારે (પોતે) શું કરવાનું છે તે જાતને પૂછી લેવાનું.
બરાબરને ??
છાપાના કટારલેખકોને તો કોલમ સે.મી.ના રૂપિયા મળે એટલે લખે.
ટીવી સીરીયલોમાં કલાકારોને રડવાના રૂપિયા મળે એટલે રડે.
ક્રિકેટરોને રમવાના રૂપિયા મળે એટલે રમે.
તમે તેમને લખવા, રડવા કે રમવા સિવાયનું કોઇ કામ રાષ્ટ્ર માટે કરતાં જોયા છે ??
દેશને માટે .. સ્વદેશી થઇને સ્વમાન સાથે જીવવાની હિંમત બાપના વિર્યમાંથી અને માના ગર્ભાશયમાંથી મળતી હોય તેવું મને લાગે છે.
તમને થતી વેદના માટે મને કોઇ સહાનુભુતિ નથી. તમારા શબ્દોમાં રહેલી લાચારી પર મને ગુસ્સો આવે છે. તમારા જેવો સેન્સીટીવ વ્યક્તિ ઇન્ટરનેટ પર આવી ચર્ચામાંથી મુદ્દો લઇને સીસ્ટમની સામે થઇ જવો જોઇએ નહિ કે અર્થ વગરની ચોળીને ચીકણું કરતી ચર્ચા લાંબી કરે.
મારી મદદની જરૂર હોય તો હવે ફોન કરજો … ૦ ૯૪૨૭૨૨૨૭૭૭.